હરિયાણામાં કોંગ્રેસની નવી ટીમ તૈયાર,રાવ નરેન્દ્રને પ્રદેશ પ્રમુખની સોંપાઇ કમાન

રાવ નરેન્દ્ર સિંહને નવા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC) અધ્યક્ષ અને ભૂપિન્દર સિંહ હુડ્ડાને કોંગ્રેસ વિધાનસભા દળ (CLP)ના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

કોંગ્રેસ પક્ષે હરિયાણામાં મોટી સંગઠનાત્મક ફેરબદલ કરી છે. પાર્ટીના મહાસચિવ કે.સી. વેણુગોપાલની મંજૂરી બાદ રાવ નરેન્દ્ર સિંહને નવા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC) અધ્યક્ષ અને ભૂપિન્દર સિંહ હુડ્ડાને કોંગ્રેસ વિધાનસભા દળ (CLP)ના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણી પછી લગભગ એક વર્ષથી આ બંને પદ ખાલી હતા.

આ નિમણૂક સાથે, લગભગ ૨૦ વર્ષથી ચાલતા આવતા જાટ (Jat) – દલિત (SC) રાજકીય સમીકરણમાં મોટો બદલાવ આવ્યો છે. અગાઉ, કોંગ્રેસમાં આ બંને મુખ્ય પદો પર જાટ અને દલિત નેતાની જોડી જોવા મળતી હતી, પરંતુ આ વખતે પાર્ટીએ આ ફોર્મ્યુલા તોડીને બે મુખ્ય જવાબદારીઓ (વિપક્ષના નેતા અને પ્રદેશ અધ્યક્ષ) જાટ અને ઓબીસી (OBC) સમુદાયના નેતાઓને સોંપી છે.

કોંગ્રેસનો આ નવો નિર્ણય એ સંકેત આપે છે કે પક્ષ હવે ઓબીસી અને અન્ય સમુદાયોને ધ્યાનમાં રાખીને હરિયાણાના જાતિગત સમીકરણો અને ધ્રુવીકરણની રાજનીતિને પડકારવાનો પ્રયાસ કરી રહી છે. ૩૭ કોંગ્રેસ ધારાસભ્યોમાંથી મોટાભાગનાનું સમર્થન મળ્યા બાદ ભૂપિન્દર હુડ્ડાનું નામ CLP નેતા તરીકે પહેલેથી જ ચર્ચામાં હતું. લાંબા સમયથી પ્રદેશ અધ્યક્ષ પદના મજબૂત દાવેદાર રહેલા રાવ નરેન્દ્ર સિંહની નિમણૂકને કોંગ્રેસની આંતરિક જૂથબંધી અને ચૂંટણીની રણનીતિને ધ્યાનમાં રાખીને એક વ્યૂહાત્મક નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!