દહેગામ: પાલુન્દ્ર ગામ નજીક ભયાનક અકસ્માત, આધેડનું ઘટનાસ્થળે મોત

ઉત્કંઠેશ્વર મહાદેવ જવાના માર્ગ પર પાલુન્દ્રા પાસે જેસીબી ટ્રકે આધેડને અડફેટે લીધા

દહેગામ, શનિવાર
દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામ નજીક આજે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક 50 વર્ષીય આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર જવાના માર્ગ પર આ દુર્ઘટના બની હતી.

શું બન્યું હતું?
પ્રાથમિક માહિતી મુજબ, ચિસકારી ગામના 50 વર્ષીય માનસિંહ જીવાજી ઠાકોર રેશનિંગની દુકાન તરફ ચાલીને જઈ રહ્યા હતા. તે જ સમયે, એક JCB ટ્રક (લોડર મશીન) એ તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, માનસિંહભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

આ ઘટના બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માતને કારણે થોડા સમય માટે વાતાવરણમાં શોક અને રોષ જોવા મળ્યો હતો.

પોલીસ તપાસ શરૂ
આ ગમખ્વાર અકસ્માત અંગે સ્થાનિક પોલીસે જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત કેવી રીતે થયો અને તેના માટે કોણ જવાબદાર છે તે દિશામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!