દિગ્ગજ અભિનેતાનું દર્દ છલકાયું, કહ્યું દમદાર ફિલ્મો કરી છતાં એવોર્ડ ન મળવાનું દુઃખ

આશિકીથી લઈને જો જીતા વહી સિકંદર જેવી યાદગાર ફિલ્મોમાં કામ કરનાર દીપક તિજોરીએ દરેક ભૂમિકાને સંપૂર્ણ પ્રામાણિકતાથી નિભાવી છે

દિગ્ગજ અભિનેતાનું દર્દ છલકાયું

મુંબઈ, શનિવાર : દીપક તિજોરી છેલ્લા 35 વર્ષથી મનોરંજન ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. આશિકીથી લઈને જો જીતા વહી સિકંદર જેવી યાદગાર ફિલ્મોમાં કામ કરનાર દીપક તિજોરીએ દરેક ભૂમિકાને સંપૂર્ણ પ્રામાણિકતાથી નિભાવી છે. તાજેતરમાં તેમણે એક વાતચીતમાં જણાવ્યું કે, ‘વર્ષો સુધી ઉત્તમ કામ કરવા છતાં મને પુરસ્કારોથી કેવી રીતે દૂર રાખવામાં આવ્યા.’ તેમણે એવોર્ડ શૉની સત્યતા, સિસ્ટમની ખામીઓ વિશે વાત કરી છે.

તેમણે કહ્યું કે, દર વર્ષે જ્યારે એવોર્ડની યાદી આવતી ત્યારે મને આશા રહેતી હતી કે કદાચ આ વખતે મારું નામ હશે. આશિકી, સડક, જો જીતા વહી સિકંદર, ખેલાડી. મેં ઘણા બધા જુદા જુદા પાત્રો ભજવ્યા, છતાં દર વખતે મારું નામ નહોતું આવતું. ધીમે ધીમે મારું મન શાંત થયું. ક્યારેક મેં ઈશારો કર્યો, ક્યારેક મેં રાહ જોઈ, પણ એક સમયે મેં મારી જાતને કહ્યું, હવે મારે આશા ન રાખવી જોઈએ. કોઈ ઉદાસી નહોતી પણ ખાલીપણું ચોક્કસ હતું. કોઈ ફરિયાદ નહોતી પણ મારા મનમાં હંમેશા એક અધૂરી ઈચ્છા રહેતી હતી.અભિનેતાએ આગળ કહ્યું કે, જો જીતા વહી સિકંદર દરમિયાન મેં એવોર્ડ ફંક્શનમાં પણ પરફોર્મ કર્યું હતું. મેં એક શૉમાં તે જ ફિલ્મના એક ગીત પર ડાન્સ કર્યો હતો પરંતુ તે જ રાત્રે જ્યારે આમિરનું નામ નોમિનેટ થયું હોવા છતાં બીજા કોઈને એવોર્ડ મળ્યો ત્યારે મને લાગ્યું કે પ્રતિભાના આધારે નિર્ણયો લેવામાં આવતા નથી. મેં એવોર્ડ શૉમાં ભાગ લેવાનું બંધ કરી દીધું હતું. આમિરે પણ આ બધાથી પોતાને દૂર રાખ્યા હતા.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!