Gujarat

 કુંવરજી બાવળિયાની હકાલપટ્ટી કરાયા બાદ જૂથવાદ મામલે બાવળિયાનું મોટું નિવેદન સામે આવ્યું

 કુંવરજી બાવળિયાની હકાલપટ્ટી કરાયા બાદ જૂથવાદ મામલે બાવળિયાનું મોટું નિવેદન સામે આવ્યું

- કુંવરજી બાવળિયાનું નિવેદન : 'કોળી સમાજના આગેવાનો સાથે સમાધાન થઈ ગયું છે
- મારા હિત શત્રુઓ આ કરાવી રહ્યાં છે, મારી અજીત પટેલ સાથે વાત થઈ ગઇ છે, અજીત પટેલે તેમની ભૂલ સ્વીકારી છે
- અજીત પટેલે કહ્યું છે કે તમને હટાવાની સત્તા મારી નથી

રાજકોટ, મંગળવાર 

   અખિલ ભારતીય કોળી સમાજના સંમેલનમાં શક્તિ પ્રદર્શન કરે તે પહેલા જ મોટો ધડાકો થયો હતો. અજીત પટેલે કુંવરજી બાવળિયાને અખિલ ભારતીય કોળી સમાજમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે આ સસ્પેન્શનને લઈને રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજમાં જૂથવાદ સામે આવ્યો છે. કુંવરજી બાવળિયાને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી દૂર કરાતા કોળી સમાજમાં બે જૂથ સામ-સામે આવી ગયા છે. ચંદ્રવદન પીઠવાલાએ અજીત પટેલનો દાવો પાયાવિહોણો ગણાવ્યો છે. તો બીજી તરફ અજિત પટેલે કહ્યુ કે, કુંવરજી બાવળિયાએ સમાજ વિરોધી કામ કર્યું છે. ત્યારે રાજકોટમાં કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે.      કુંવરજી બાવળિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, 'કોળી સમાજના આગેવાનો સાથે સમાધાન થઈ ગયું છે. મારા હિત શત્રુઓ આ કરાવી રહ્યાં છે. મારી અજીત પટેલ સાથે વાત થઈ ગઇ છે. અજીત પટેલે તેમની ભૂલ સ્વીકારી છે. અજીત પટેલે કહ્યું છે કે તમને હટાવાની સત્તા મારી નથી. કોળી સમાજ પ્રમુખ પદેથી હટાવાને લઈને અમારું સમાધાન થઇ ગયું છે. જે મામલો કોર્ટમાં છે તે યથાસ્થિતિ રહેશે.

   અખિલ ભારતીય કોળી સમાજનો વિવાદ હવે ચરણ સીમા પર પહોંચી ગયો છે. હવે સમાજના અગ્રણી ચંદ્રકાંત પીઠવાળાએ કુંવરજી બાવળિયાને ખોટી રીતે સસ્પેન્ડ કર્યા હોવાની વાત કરી હતી. જેની સામે હાલના અખિલ ભારતીય કોળી સમાજ ના અધ્યક્ષ અજિત પટેલે જણાવ્યું હતું કે કુંવરજીભાઈ મારી સામે ઇલેક્શનમાં ઉભા રહ્યા હતાં. જેમાં તેઓ હારી ગયા હોવા છતાં તેમનું ખોટી રીતે પ્રમુખ પદ શરૂ રાખી વિવિધ હોદ્દાઓની નિમણૂક કરી હતી. હાલ સમાજના બે ભાગલા પડવાનું કામ કુંવરજીભાઇ કરી રહ્યા છે. આ સાથેસાથે ચંદ્રકાંત પટેલે પણ સંમેલનમાં કોઈ જાય નહીં તેવા પ્રયાસો તેમના દ્વારા કરાયા હતા. આ સાથોસાથ 24 માર્ચના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે ગાંધીનગર ખાતે આવેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે મને અને કુંવરજીભાઇને બંનેને બોલાવ્યા હતા. જ્યાં બંનેને સમજાવવામાં આવ્યા હતા કે સમાજના સંમેલનમાં બંને સહભાગી થશો. જો કે રાષ્ટ્રપતિનું અપમાન કરીને કુંવરજી બાવળિયા દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી ન હતી. આ ઉપરાંત આખેઆખો બાવળિયા સમાજ દ્વારા આ સંમેલનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. હું પોતે કુવરજી બાવળિયા સામે લડ્યો હતો અને જંગી બહુમતીથી જીત્યો હતો. જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ઠરાવ પાસ કરીને કરવામાં આવ્યો છે અને આખરી મંજૂરી મારા તરફથી આપવામાં આવી હતી. મારો કોઈ આ વ્યક્તિગત નિર્ણય ન હોવાનું જણાવ્યું હતું. કુંવરિયાના સસ્પેન્શન બાદ અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યુ છે. ચંદ્રવદન પીઠવાલાએ કહ્યું કે, રાષ્ટ્રીય પ્રમુખ પદનો મામલો કોર્ટમાં છે. બેઠકમાં અજીતભાઈએ  કરેલા દાવા પાયાવિહોણા છે. 

 

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

 કુંવરજી બાવળિયાની હકાલપટ્ટી કરાયા બાદ જૂથવાદ મામલે બાવળિયાનું મોટું નિવેદન સામે આવ્યું