અમદાવાદ પ્લેન ક્રેશ: 60 પીડિત પરિવારોએ બોઇંગ સામે યુ.એસ. કોર્ટમાં કરી અરજી

અમદાવાદમાં થયેલા ભયાનક પ્લેન ક્રેશમાં 241 લોકોના મૃત્યુ થયા હતા. હવે 60 પરિવારોએ ન્યાય માટે બોઇંગ કંપની વિરુદ્ધ યુ.એસ. કોર્ટમાં અરજી કરી છે. જાણો આ કેસ અને તેના અગત્યના અપડેટ્સ.

અમદાવાદ, શુક્રવાર
અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયા બાદ તરત જ ક્રેશ થયેલા પ્લેનની દુર્ઘટનાના પીડિત પરિવારોએ ન્યાય માટે અવાજ ઉઠાવ્યો છે. આ ભયાનક દુર્ઘટનામાં કુલ 241 લોકોના મોત થયા હતા, અને હવે 60 પરિવારોએ અમેરિકાની કોર્ટમાં એરક્રાફ્ટ ઉત્પાદક કંપની બોઇંગ સામે અરજી દાખલ કરી છે. આ પરિવારોએ આક્ષેપ કર્યો છે કે કંપની આર્થિક લાભ માટે મહત્વની વિગતો છુપાવી રહી છે.

પીડિત પરિવારોએ કોર્ટમાં કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) દ્વારા તપાસ કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે આ રેકોર્ડર્સ દ્વારા જ સાચી ઘટના બહાર આવશે અને દુર્ઘટનાનું કારણ જાણી શકાશે.

દુર્ઘટનાના મુખ્ય મુદ્દાઓ
આ ઘટના 12 જૂનના રોજ બની હતી જ્યારે ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 242 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ, જેનું નામ વિશ્વાસ છે, તેનો ચમત્કારિક બચાવ થયો હતો. તે સીટ નંબર 11A પર બેઠેલો હતો. દુર્ઘટનાના એક મહિના પછી આવેલા પ્રારંભિક તપાસ રિપોર્ટ (AAIB) અનુસાર, પ્લેન ટેકઓફ થયા પછી તરત જ તેના બંને એન્જિન બંધ થઈ ગયા હતા.

આ રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કોકપિટમાં પાઇલોટ્સ વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ મળ્યું છે, જેમાં એક પાઇલટે બીજાને એન્જિન બંધ થવા વિશે પૂછ્યું હતું અને બીજા પાઇલટે નામાં જવાબ આપ્યો હતો. ટેકઓફ પછી, પાઇલોટે એર ટ્રાફિક કંટ્રોલરને મેડે (Mayday) કોલ મોકલ્યો હતો, પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો ન હતો.

આ ઘટનામાં 230 પેસેન્જર અને 12 ક્રૂ મેમ્બર સહીત કુલ 242 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 241 લોકોના કરુણ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. પીડિત પરિવારોને આશા છે કે યુ.એસ. કોર્ટમાં અરજી દાખલ કરવાથી તેમને ન્યાય મળશે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાશે. આ કેસ પર હવે સૌની નજર રહેશે કે અમેરિકી કોર્ટ આ મામલે શું નિર્ણય લે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!