ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આરોગ્ય વિભાગ સક્રિય: અમદાવાદની હોસ્પિટલો પર તવાઈ!

આ કાર્યવાહી દર્શાવે છે કે રાજ્ય સરકાર દર્દીઓના હિત અને આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા માટે કટિબદ્ધ છે.

અમદાવાદ, બુધવાર
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના કથિત કાંડ બાદ ગુજરાતનું આરોગ્ય વિભાગ સફાળું જાગૃત થયું છે. નિયમોના ઉલ્લંઘન અને ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહીનો દોર શરૂ થયો છે. આ કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદની ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સર્વિસીસનું PMJAY-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા નિર્દેશ મુજબ, ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સર્વિસીસ સામે ગાઇડલાઇન્સના ભંગ બદલ પગલાં લેવામાં આવ્યા છે. આ ઘટના દર્શાવે છે કે સરકાર હવે હોસ્પિટલો અને તબીબો દ્વારા થતી ગેરરીતિઓ પ્રત્યે ગંભીર છે.

ફાયર સેફ્ટીના નિયમો, બિલ્ડિંગ પરમિશન અને અન્ય ગાઇડલાઇન્સના ઉલ્લંઘનના મુદ્દે પણ અનેક હોસ્પિટલો તપાસના દાયરામાં છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવી કોઈપણ ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં.

લોકોને પણ પારદર્શિતા જાળવવા માટે એક નવી સુવિધા પૂરી પાડવામાં આવી છે. હવેથી, કોઈપણ ફરિયાદની વિગતો ઇમેલ દ્વારા લિંક થકી મોકલવામાં આવશે, જેથી પ્રક્રિયા વધુ સરળ અને સુલભ બને.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!