વડનગરથી ‘સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ: ગૃહમંત્રી અમિત શાહે બાઈક સેવા યાત્રાને કરાવ્યું પ્રસ્થાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે વડનગર ખાતેથી ગૃહમંત્રી અમિત શાહે ‘વડનગરથી વારાણસી’ બાઈક સેવા યાત્રાને પ્રસ્થાન કરાવીને ‘સેવા સંકલ્પ અભિયાન’ની શરૂઆત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન (૧૭ સપ્ટેમ્બર) ના પવિત્ર અવસર પર તેમના જન્મસ્થળ વડનગર ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ઐતિહાસિક બાઈક સેવા યાત્રાનો સત્તાવાર પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાનના જાહેર જીવન અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આ મેગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

‘વડનગરથી વારાણસી’ અને ‘વારાણસીથી વડનગર’ મેગા બાઈક યાત્રા

ઐતિહાસિક રૂટ અને વ્યાપ: વડાપ્રધાનની જન્મભૂમિ વડનગર અને કર્મભૂમિ વારાણસી વચ્ચે શરૂ થયેલી આ વિશેષ બાઈક સેવા યાત્રા દેશના ૧૦ રાજ્યોમાંથી પસાર થઈને અંદાજે ૪૦,૦૦૦ કિલોમીટરનું અંતર કવર કરશે.

ઉદ્દેશ્ય અને આયોજન: આ યાત્રાનો મુખ્ય હેતુ યુવાનોમાં રાષ્ટ્રભાવના અને સેવાના સંકલ્પોને વધુ મજબૂત કરવાનો છે. યાત્રા દરમિયાન માર્ગમાં આવતી પવિત્ર નદીઓનું જળ એકત્રિત કરીને યાત્રાના અંતે વડનગર ખાતે હાટકેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક કરવામાં આવશે.

 ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન

આ અવસરે ગૃહમંત્રી અમિત શાએ જણાવ્યું હતું કે, “વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના આપણા સંકલ્પને સાકાર કરવા માટે આપણને એવા અસંખ્ય યુવાનોની જરૂર છે, જેઓ આગામી ત્રણ પેઢીઓ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર્શાવેલા માર્ગ પર ચાલીને ‘ભારત પ્રથમ’ (India First) ના મંત્રને સફળતાપૂર્વક આગળ ધપાવે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન મોદીએ છેલ્લા ૨૫ વર્ષથી અવિરતપણે અને એક પણ દિવસની રજા લીધા વગર દરરોજ ૧૬ કલાકથી વધુ સમય સુધી રાષ્ટ્રસેવામાં પોતાને સમર્પિત કર્યા છે

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!