કેન્દ્ર સરકારે ૨૦૨૬ના નવા પાસપોર્ટ નિયમો લાગુ કર્યા છે, જેના હેઠળ ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના પાસપોર્ટની માન્યતા વધારીને ૧૮ વર્ષ સુધી કરવામાં આવી છે અને ફી ૧,૭૫૦ રૂપિયા કરાઈ છે.

કેન્દ્ર સરકાર દ્વારા બાળકોના પાસપોર્ટ અંગે એક મોટો અને રાહતજનક નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલય દ્વારા ‘Passport (Amendment) Rules, 2026’ નોટિફાય કરવામાં આવ્યા છે, જે Passport Rules, 1980 માં સુધારો કરે છે અને આ નવા નિયમોનો આજથી જ સત્તાવાર અમલ શરૂ થઈ ચૂક્યો છે.
નવા નિયમ મુજબ પાસપોર્ટની માન્યતા અને ફાયદા
-
માન્યતા ૧૮ વર્ષ સુધી: નવા નિયમ અનુસાર, ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જારી થતો ૩૬ પાનાનો સામાન્ય પાસપોર્ટ હવે જારી થયાની તારીખથી ૫ વર્ષ સુધી અથવા બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી માન્ય રહેશે.
-
જૂનો નિયમ શું હતો?: અગાઉ ૧૫ વર્ષથી નાના બાળકનો પાસપોર્ટ માત્ર ૫ વર્ષ અથવા બાળક ૧૫ વર્ષનું થાય ત્યાં સુધી જ ચાલતો હતો. દા.ત., જો ૧૨ વર્ષના બાળકનો પાસપોર્ટ બને તો તે માત્ર ૩ વર્ષ જ (૧૫ વર્ષ પૂરાં થતાં સુધી) ચાલતો હતો અને ફરી નવો પાસપોર્ટ કઢાવવો પડતો હતો.
-
માતા-પિતાને મોટી રાહત: હવે નવા નિયમને કારણે જો કોઈ ૧૩ કે ૧૪ વર્ષના બાળકનો પાસપોર્ટ બને, તો તે સીધો ૧૮ વર્ષની ઉંમર સુધી માન્ય રહેશે. ૧૮ વર્ષ પૂર્ણ થયા પછી જ તેણે નવો પાસપોર્ટ બનાવવો પડશે, જે આગળ જતાં ૧૦ વર્ષ સુધી માન્ય રહે છે.
બાળકોના પાસપોર્ટ માટે નવી ફી અને છૂટ
-
પાસપોર્ટ ફી: બાળકોના ૩૬ પાનાના નવા અથવા રી-ઇશ્યૂ થતા સામાન્ય પાસપોર્ટની ફી હવે ૧,૭૫૦ રૂપિયા કરવામાં આવી છે (જે અગાઉ ૧,૦૦૦ રૂપિયા હતી). આ પાસપોર્ટ ઇમરજન્સીમાં કઢાવવો હોય તો ૩,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે.
-
ખાસ છૂટ: ૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની નવા પાસપોર્ટ અરજીઓ











