દેશની સિસ્ટમ સામે રાહુલ ગાંધીના ગંભીર આક્ષેપો: ટોચના સ્તરે છ લોકો નિયંત્રણ રાખતા હોવાનો દાવો

રાહુલ ગાંધીએ દેશની સિસ્ટમ સામે સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, અજિત ડોભાલ, મોહન ભાગવત તેમજ ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણી દેશની વ્યવસ્થા અને તેના સંચાલન પર નિયંત્રણ રાખે છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશની વર્તમાન વ્યવસ્થા અને સિસ્ટમ સામે આક્રમક સવાલો ઉઠાવતા દાવો કર્યો છે કે આ લડાઈ સીધી ‘સિસ્ટમ’ વિરુદ્ધની છે. તેમણે આક્ષેપ કર્યો છે કે દેશની સમગ્ર સિસ્ટમ પર ખાસ લોકોનો કબજો છે અને તેના ટોચના સ્તરે છ મુખ્ય વ્યક્તિઓ બેઠા છે, જેઓ વિવિધ સ્તરેથી આખી વ્યવસ્થાનું સંચાલન કરે છે.

રાહુલ ગાંધી દ્વારા જણાવવામાં આવેલા છ મુખ્ય વ્યક્તિઓ અને આક્ષેપો

  • નરેન્દ્ર મોદી: રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર સિસ્ટમનું મુખ્ય સંચાલન કરે છે.

  • અમિત શાહ: તેમના પર આક્ષેપ કરાયો છે કે વિદ્યાર્થીઓને ડરાવવાની, ધમકાવવાની તેમજ વિરોધ પક્ષો અને આંદોલનકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવાની રણનીતિ તેઓ ચલાવે છે.

  • અજિત ડોભાલ: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અંગે વાત કરતા દાવો કરાયો છે કે દેશના ટેલિફોન, વોટ્સએપ, ફેસબુક અને કોમ્યુનિકેશન પર નિયંત્રણ રાખવા તથા ફોન ટેપિંગ જેવી બાબતોનું સંચાલન તેઓ કરે છે.

  • મોહન ભાગવત: આરએસએસ પ્રમુખ મોહન ભાગવત વિચારધારાના સ્તરે સંગઠન ચલાવે છે, અને શાળાઓ, કોલેજો તથા સંસ્થાઓ ચલાવવા માટે તેમને કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

  • ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી: રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે આ બંને અગ્રણી ઉદ્યોગપતિઓ આખી સિસ્ટમને ફાઇનાન્સ કરે છે, જ્યાંથી આવતા નાણાંનો ઉપયોગ માર્કેટિંગ અને રાજકીય વ્યવસ્થા ચલાવવા માટે થાય છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!