125 કરોડની ઓફર ઠુકરાવી, કેમ ઓટીટી પર રિલીઝ નહીં કરે આમીર ખાન પોતાની ફિલ્મ તારે જમી પર

આમિર ખાન જણાવે છે, ‘હું ફિલ્મના ઓટીટી રિલીઝ વિરુદ્ધ છું. હું થિયેટર્સનો મોટો સમર્થક છું

125 કરોડની ઓફર ઠુકરાવી, કેમ ઓટીટી પર રિલીઝ નહીં કરે આમીર ખાન પોતાની ફિલ્મ તારે જમી પર

મુંબઈ, રવિવાર : દેશના સૌથી લોકપ્રિય ટીવી શો ‘આપ કી અદાલત’માં આમિર ખાનએ ઘણા અગત્યના વિષયો પર ખુલ્લેઆમ ચર્ચા કરી. આ ચર્ચા દરમિયાન, આમિર ખાનએ પોતાની આગામી ફિલ્મ ‘સિતારે જમીં પર’ને ઓટીટી પર રિલીઝ ન કરવા પાછળનો અર્થ પણ સમજાવ્યો. સાથે સાથે તેમણે જાહેર કર્યું કે તેમણે ૧૨૫ કરોડ રૂપિયાનું ડીલ પણ ઠુકરાવી દીધું આમિર ખાન એ જણાવ્યું કે તેમણે 60 અને 125 કરોડ રૂપિયાના મોટા રકમને પણ નકાર્યા છે અને પોતાની ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવાની સહમતી ન આપી. આમિર ખાન જણાવે છે, ‘હું ફિલ્મના ઓટીટી રિલીઝ વિરુદ્ધ છું. હું થિયેટર્સનો મોટો સમર્થક છું, આમિર ખાનએ કહ્યું કે તેમણે ઓટીટીની ડીલને ઠુકરાવી દીધી છે. જોકે આમિર ખાન જણાવે છે, ‘મેં ઓટીટીના બધા ઓફર્સ ઠુકરાવી દીધા છે. પરંતુ મેં તેમને કહ્યું હતું કે મારી ફિલ્મ તમે 6 મહિના પછી ઓટીટી પર મૂકો, મને કોઈ મુશ્કેલ નથી. પરંતુ અત્યાર સુધીમાં કોઈ ડીલ થઈ નથી અને ફિલ્મ ફક્ત સિનેમામાં જ રિલીઝ થશે. હું પણ મહેનતથી પૈસા કમાવવા ઈચ્છું છું.’ આમિર જણાવે છે, ‘મારી ફિલ્મોને દર્શકોએ આજ સુધી હંમેશા થિયેટરમાં જોઇ છે. મારે હજુ પણ વિશ્વાસ છે કે આ ફિલ્મ પણ લોકોને થિયેટરમાં પસંદ આવશે.’ આમિર ખાનએ પોતાની ફિલ્મ અંગે ઓટિઝમ વિષે પણ વાત કરી અને જણાવ્યું કે આ ફિલ્મથી તેમને ફાયદો થશે. આમિર જણાવે છે, ‘હું ઈચ્છું છું કે લોકો આ ફિલ્મ પછી પોતાના બાળકોને છુપાવવાની બદલે ગર્વ અનુભવે અને જણાવે કે આ આપણું બાળક છે.’

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!