સીરિયામાં ચર્ચની અંદર આત્મઘાતી હુમલો,15 લોકોના મોત,અનેક ઘાયલ

રવિવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં થયેલા આત્મઘાતી હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા અને 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા

 નવી દિલ્હી, રવિવાર : સીરિયાની રાજધાની દમાસ્કસમાં થયેલા આત્મઘાતી હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા અને 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરે લોકોથી ભરેલા ચર્ચમાં પ્રાર્થના દરમિયાન પોતાને ઉડાવી દીધો હતો. દમાસ્કસની બહાર સ્થિત ડ્વેઇલામાં જ્યારે લોકો માર એલિયાસ ચર્ચની અંદર પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઘાયલોમાં બાળકો પણ સામેલ છે.

આ હુમલો સીરિયન શાસનના સૌથી સુરક્ષિત ક્ષેત્રમાં થયો હતો. સીરિયન સરકારી મીડિયાએ તેને કાયર આતંકવાદી હુમલો ગણાવ્યો છે. જોકે, હજુ સુધી કોઈ સંગઠને આ આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી નથી. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, આ કાયર હુમલો એ નાગરિક મૂલ્યોની વિરુદ્ધ છે જે આપણને એકસાથે લાવે છે. અમે ગુનાહિત સંગઠનોનો સામનો કરવા અને સમાજની સુરક્ષાને જોખમમાં મૂકતા તમામ હુમલાઓથી સમાજને બચાવવા માટે અમારા તમામ પ્રયાસો લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

અસદ વિરુદ્ધ આક્રમક
એક સુરક્ષા સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે હુમલામાં બે લોકો માર્યા ગયા હતા, જેમાં પોતાને ઉડાવી દેનાર વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. જાન્યુઆરીમાં પદ સંભાળતા પહેલા અસદ વિરુદ્ધ આક્રમણનું નેતૃત્વ કરનારા સીરિયાના રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારાએ વારંવાર કહ્યું છે કે તેઓ તેમના કાર્યકાળ દરમિયાન લઘુમતીઓનું રક્ષણ કરશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!