બુમરાહ રમે ત્યારે જ ભારત હારે છે : ભૂતપૂર્વ ક્રિકેટરની વિવાદાસ્પદ ટિપ્પણી પર ફેન્સનો ભારે રોષ
તે દુનિયાના સૌથી શ્રેષ્ઠ બોલરમાંથી એક છે અને તેની એક્શન પણ વિચિત્ર છે
બુમરાહ રમે ત્યારે જ ભારત હારે છે
ન્યુ દિલ્હી,શુક્રવાર :લોર્ડ્સ ટેસ્ટમાં ભારતને ઇંગ્લેન્ડ સામે મળેલા પરાજય બાદ ચર્ચાનું કેન્દ્રબિંદુ બન્યો છે ટીમ ઈન્ડિયાનો સ્ટાર પેસર જસપ્રીત બુમરાહ. ભારતની હાર બાદ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ડેવિડ લોયડે દ્વારા આપવામાં આવેલ નિવેદન – “જ્યારે બુમરાહ રમે છે ત્યારે ભારત હારે છે,” – સોશ્યલ મીડિયાના યુઝર્સને ગમ્યું નહી અને પરિણામે લોય્ડે ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. ઈંગ્લેન્ડની સામે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં મળેલા પરાજય બાદ ભારતીય ટીમ હતાશ છે. જે ખેલાડીને ઈંગ્લેન્ડમાં સૌથી મોટો મેચ વિનર કહેવામા આવતો, તેણે બે મેચ રમી અને બંને મેચમાં ટીમ ઈન્ડિયાને હાર મળી. જે મેચ ભારતે જીતી તેમા તે ખેલાડી નહોતો રમ્યો.આ ખેલાડી કોઈ બીજો નહીં, પણ જસપ્રીત બુમરાહ છે. આવું નિવેદન ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે આપ્યું છે.
ઈંગ્લેડના પ્રવાસ પહેલા આ વાતની પુષ્ટિ ચીફ સિલેક્ટર અને કોચે કરી હતી કે બુમરાહ આ સીરિઝમાં પાંચમાંથી 3 મેચ રમશે. ત્રણમાંથી તે બે મેચ રમી ચૂક્યો છે , હવે બાકી બે મેચમાંથી કઇ એક મેચ રમશે? આ એક સવાલ છે? ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ડેવિડ લોયડે કહ્યું છે, કે સીરિઝ દાવ પર લાગી છે અને ટીમ ઈન્ડિયા તેના મેચ વિનર બુમરાહને ચોથી ટેસ્ટમાં રમાડશે જ, જે આવતા અઠવાડિયાથી શરૂ થશે. લોયડે એમ પણ કહ્યું કે ટીમ ઈન્ડિયા જો આ ટેસ્ટ મેચ જીતે છે તો, છેલ્લી ટેસ્ટમાં પણ બુમરાહને રમાડવા પર વિચાર કરી શકે છે. તેમણેકહ્યું ‘ટીમના કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે બુમરાહ પાંચમાથી ત્રણ મેચ રમશે. એવામાં તેમની પાસે એક વિકલ્પ છે. હજી બે મેચ બાકી છે. બુમરાહ બે મેચ રમી ચૂકયો છે, જો ટીમ ઈન્ડિયા ગંભીરના નિર્ણય પર વિચાર કરે તો, બુમરાહને આવનારી મેચ રમવી જોઈએ. જો બુમરાહ ઓલ્ડ ટ્રેફર્ડમાં રમે છે અને ટીમ 2-2ની બરાબરી કરે છે, તો ટીમ બુમરાહને ઓવલમાં પણ રમાડશે, પણ મને લાગે છે જો ટીમ 3-1થી પાછળ રહેશે તો બુમરાહને છેલ્લી મેચ નહીં રમાડે’ પણ જ્યારે એન્કરે જણાવ્યું કે ટીમ ઈન્ડિયાની જીત એકમાત્ર બુમરાહની ગેરહાજરીમાં આવી છે. બર્મિઘમ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ અને આકાશ દીપે મળીને 16 વિકેટ લીધી હતી. તેની પર ડેવિડે જાવબ આપ્યો કે ‘એવું કહેવામાં આવે છે કે જ્યારે બુમરાહ રમે છે ત્યારે ટીમ ઈન્ડિયા વધારે વાર હારે છે. જ્યારે તે નથી રમતો ત્યારે ટીમ ઈન્ડિયા મેચ જીતે છે. તે દુનિયાના સૌથી શ્રેષ્ઠ બોલરમાંથી એક છે અને તેની એક્શન પણ વિચિત્ર છે’
બુમરાહ રમે ત્યારે જ ભારત હારે છે : ભૂતપૂર્વ ક્રિકેટરની વિવાદાસ્પદ ટિપ્પણી પર ફેન્સનો ભારે રોષ
તે દુનિયાના સૌથી શ્રેષ્ઠ બોલરમાંથી એક છે અને તેની એક્શન પણ વિચિત્ર છે
ન્યુ દિલ્હી,શુક્રવાર : લોર્ડ્સ ટેસ્ટમાં ભારતને ઇંગ્લેન્ડ સામે મળેલા પરાજય બાદ ચર્ચાનું કેન્દ્રબિંદુ બન્યો છે ટીમ ઈન્ડિયાનો સ્ટાર પેસર જસપ્રીત બુમરાહ. ભારતની હાર બાદ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ડેવિડ લોયડે દ્વારા આપવામાં આવેલ નિવેદન – “જ્યારે બુમરાહ રમે છે ત્યારે ભારત હારે છે,” – સોશ્યલ મીડિયાના યુઝર્સને ગમ્યું નહી અને પરિણામે લોય્ડે ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. ઈંગ્લેન્ડની સામે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં મળેલા પરાજય બાદ ભારતીય ટીમ હતાશ છે. જે ખેલાડીને ઈંગ્લેન્ડમાં સૌથી મોટો મેચ વિનર કહેવામા આવતો, તેણે બે મેચ રમી અને બંને મેચમાં ટીમ ઈન્ડિયાને હાર મળી. જે મેચ ભારતે જીતી તેમા તે ખેલાડી નહોતો રમ્યો.આ ખેલાડી કોઈ બીજો નહીં, પણ જસપ્રીત બુમરાહ છે. આવું નિવેદન ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે આપ્યું છે.
ઈંગ્લેડના પ્રવાસ પહેલા આ વાતની પુષ્ટિ ચીફ સિલેક્ટર અને કોચે કરી હતી કે બુમરાહ આ સીરિઝમાં પાંચમાંથી 3 મેચ રમશે. ત્રણમાંથી તે બે મેચ રમી ચૂક્યો છે , હવે બાકી બે મેચમાંથી કઇ એક મેચ રમશે? આ એક સવાલ છે? ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ડેવિડ લોયડે કહ્યું છે, કે સીરિઝ દાવ પર લાગી છે અને ટીમ ઈન્ડિયા તેના મેચ વિનર બુમરાહને ચોથી ટેસ્ટમાં રમાડશે જ, જે આવતા અઠવાડિયાથી શરૂ થશે. લોયડે એમ પણ કહ્યું કે ટીમ ઈન્ડિયા જો આ ટેસ્ટ મેચ જીતે છે તો, છેલ્લી ટેસ્ટમાં પણ બુમરાહને રમાડવા પર વિચાર કરી શકે છે. તેમણેકહ્યું ‘ટીમના કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે બુમરાહ પાંચમાથી ત્રણ મેચ રમશે. એવામાં તેમની પાસે એક વિકલ્પ છે. હજી બે મેચ બાકી છે. બુમરાહ બે મેચ રમી ચૂકયો છે, જો ટીમ ઈન્ડિયા ગંભીરના નિર્ણય પર વિચાર કરે તો, બુમરાહને આવનારી મેચ રમવી જોઈએ. જો બુમરાહ ઓલ્ડ ટ્રેફર્ડમાં રમે છે અને ટીમ 2-2ની બરાબરી કરે છે, તો ટીમ બુમરાહને ઓવલમાં પણ રમાડશે, પણ મને લાગે છે જો ટીમ 3-1થી પાછળ રહેશે તો બુમરાહને છેલ્લી મેચ નહીં રમાડે’ પણ જ્યારે એન્કરે જણાવ્યું કે ટીમ ઈન્ડિયાની જીત એકમાત્ર બુમરાહની ગેરહાજરીમાં આવી છે. બર્મિઘમ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ અને આકાશ દીપે મળીને 16 વિકેટ લીધી હતી. તેની પર ડેવિડે જાવબ આપ્યો કે ‘એવું કહેવામાં આવે છે કે જ્યારે બુમરાહ રમે છે ત્યારે ટીમ ઈન્ડિયા વધારે વાર હારે છે. જ્યારે તે નથી રમતો ત્યારે ટીમ ઈન્ડિયા મેચ જીતે છે. તે દુનિયાના સૌથી શ્રેષ્ઠ બોલરમાંથી એક છે અને તેની એક્શન પણ વિચિત્ર છે’
Author: MEHTA AYUSHI
Read More
ટ્રમ્પ Vs નેતન્યાહુ: લેબનોન સીઝફાયર મુદ્દે અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ટકરાવ, ટ્રમ્પના એક નિવેદનથી ઈઝરાયલી પીએમ કેમ ચોંકી ગયા?
રાહુલ ગાંધીને મોટી રાહત: બેવડી નાગરિકતા મામલે FIR નોંધવાના પોતાના જ આદેશ પર હાઈકોર્ટે કેમ લગાવી રોક? જાણો સંપૂર્ણ વિગત
ચાંદખેડા ઢોસા કાંડ: FSL રિપોર્ટ બાદ પણ રહસ્ય અકબંધ, માતા-પિતાએ બદલી થિયરી, પુત્ર પ્રાપ્તિ’ની ડાયરીએ વધારી પોલીસની મૂંઝવણ
વેકેશનમાં ટ્રેનમાં ફૂલ વેઈટિંગ? રેલવેએ શરૂ કરી અમદાવાદ-મુંબઈ અને સુરત માટે સમર સ્પેશિયલ ટ્રેનો, જુઓ આખું લિસ્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આફત: આગામી 3 દિવસ આ 9 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ
સાવધાન! દેશમાં ગરમીનો પ્રકોપ: તાપમાન 50 ડિગ્રીએ પહોંચવાની આશંકા, દુનિયાના સૌથી ગરમ 50 શહેરોમાં 20 ભારતનાં
ગુજરાતમાં ભાજપ માટે કપરા ચઢાણ: ટિકિટ મુદ્દે કાર્યકરો અને સુવિધા મુદ્દે જનતા લાલઘૂમ, ઠેર-ઠેર નેતાઓનો વિરોધ
New Labor Code: પ્રાઈવેટ નોકરી કરનારાઓ માટે બદલાશે પગારના નિયમો, હાથમાં આવતી સેલરી ઘટશે પણ નિવૃત્તિ સમયે થશે મોટો ફાયદો
સાયબર ફ્રોડ રોકવા RBIના નવા નિયમો: શું હવે તમારા પૈસા સુરક્ષિત રહેશે? જાણો કેમ લોકો ઉડાવી રહ્યા છે મજાક
અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં થશે મોટી બેઠક, ન્યુક્લિયર ડીલ અને ઓઈલ સંકટ પર દુનિયાની નજર
દહેગામમાં મધુર ડેરીનો વિવાદ ઉગ્ર બન્યો: ભાજપના ધારાસભ્યનો કાફલો રોકાયો, પશુપાલકોએ આપ્યું નો વોટનું અલ્ટીમેટમ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં 172% નો તોતિંગ વધારો: શું ભારતમાં પણ ચૂંટણી બાદ ખિસ્સા ખાલી થશે? જાણો શું છે લેટેસ્ટ અપડેટ