હવે ઘણા લોકો સીડીઓની નીચે ખાલી જગ્યા દેખાતા ત્યાં જ ભગવાનું મંદિર બનાવી દે છે : આ ઘણીવાર ઘરમાં નકારાત્મક ઊર્જા, કૌટુંબિક કલહ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરે છે

અમદાવાદ, ગુરુવાર : ઘણા ઘરોમાં સીડીઓની નીચે ખાલી જગ્યા હોય છે અને તેમાં લોકો ભક્તિભાવથી મંદિર બનાવી દે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ સીડીની નીચે ભગવાનનું સ્થાન બનાવવું શુભ માનવામાંતું નથી. આ ઘણીવાર ઘરમાં નકારાત્મક ઊર્જા, કૌટુંબિક કલહ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરે છે. હવે ઘણા લોકો સીડીઓની નીચે ખાલી જગ્યા દેખાતા ત્યાં જ ભગવાનું મંદિર બનાવી દે છે ત્યારે વાસ્તુ શાસ્ત્ર મુજબ સીડી નીચે મંદિર બનાવવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ ઘરમાં સીડી નીચે મંદિર ન હોવું જોઈએ.
આ ઘર માટે ખૂબ જ અશુભ છે. આનું કારણ એ છે કે આપણે સીડીઓ ચઢીએ છીએ, એટલે કે, આપણા પગ સીડી પર પડે છે.
જો મંદિર સીડીની નીચે હોય,અને તમે સીડી ચઢીને જાવ તો તમારા પગ મંદિરની ઉપર આવે છે જે યોગ્ય નથી. ઘરનું મંદિર હંમેશા તમારી સામે હોય અથવા તમારી ઉપર હોવું જોઈએ. જો મંદિર સીડીની નીચે હોય તો તે ઘરમાં નકારાત્મકતા પેદા કરે છે. ઉપરાંત, સીડી નીચે મંદિર રાખવાથી ઘરમાં કૌટુંબિક મુશ્કેલીઓ સર્જાય છે સીડી નીચે મંદિર રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે જે પરિવારના સભ્યોની સફળતામાં અવરોધ ઉભો કરે છે. આ ઉપરાંત ઘરની સીડી નીચે મંદિર હોવાથી ઘરના બધા સભ્યોના સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરવા લાગે છે. જો સીડી નીચે મંદિર હોય, તો તે જગ્યાએથી મંદિર તોડીને ઘરની પૂર્વ દિશામાં મંદિર બનાવવાનો પ્રયાસ કરો. જો આ શક્ય ન હોય તો તમે એક મંદિર ખરીદી શકો છો અને તેને પૂર્વ દિશામાં મૂકી શકો છો અને ભગવાનની સ્થાપના કરી શકો છો











