હિમાચલ અને તેલંગાણામાં દુર્ઘટનામાં મૃતકોને મોરારી બાપુની મદદ, પીડિતોને કરી આર્થિક મદદ

હિમાચલ, તેલંગાણા અને ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓમાં મોરારી બાપુ તરફથી મૃતકોના પરિવારજનોને કુલ 12 લાખની આર્થિક સહાય. જાણો વિગત.

અમદાવાદ, ગુરૂવાર
છેલ્લા કેટલાક દિવસોથી દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ અને અન્ય દુર્ઘટનાઓએ હાહાકાર મચાવ્યો છે. આવા કપરા સમયે ગુજરાતના પ્રખ્યાત સંત મોરારી બાપુએ તેમની કરુણા અને માનવતાનો અદ્ભુત દાખલો પૂરો પાડ્યો છે. અમેરિકાના લિટલ રોક ખાતે તેમની રામકથા ચાલી રહી હોવા છતાં, તેમણે આ દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે.

હિમાચલ પ્રદેશમાં મેઘ તાંડવ
સૌથી વધુ વરસાદ અને વિનાશ હિમાચલ પ્રદેશમાં જોવા મળ્યો છે. વાદળ ફાટવા અને અતિવૃષ્ટિને કારણે પ્રાપ્ત માહિતી મુજબ, 50થી વધુ લોકોનાં દુઃખદ મોત થયા છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ સમાચાર મળતાં જ મોરારી બાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમના પરિવારજનોને 6 લાખની સહાય અર્પણ કરી છે. આ આર્થિક મદદ કથાના મનોરથી પરિવાર દ્વારા કરવામાં આવશે અને ટ્રસ્ટ દ્વારા રાહત ફંડમાં પહોંચાડવામાં આવશે.

તેલંગાણામાં ફેક્ટરી બ્લાસ્ટ
બીજી બાજુ, બે દિવસ પહેલાં તેલંગાણા રાજ્યમાં એક દવાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. આ કરુણ દુર્ઘટનામાં 44 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. મોરારી બાપુએ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પણ 6,60,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.

ગુજરાતમાં પણ સહાયનો હાથ
મોરારી બાપુએ ગુજરાતમાં બનેલી નાની દુર્ઘટનાઓમાં પણ સંવેદના દાખવી છે. ગાંધીનગર નજીક કાર કેનાલમાં ખાબકતાં ત્રણ લોકોનાં મોત થયા હતા, તેમના પરિવારજનોને 45,000ની સહાય મોકલવામાં આવશે. જામનગરના સલાયા નજીક પાણીમાં ડૂબી જવાથી બે યુવકનાં મોત થયા હતા, તેમના પરિવારજનોને 30,000ની સહાય મોકલવામાં આવશે. પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. આ રીતે, મોરારી બાપુએ કુલ 12 લાખથી વધુની સહાય અર્પણ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!