કોકરુચ જનતા પાર્ટીએ આજની ‘સંસદ માર્ચ’ રદ કરી છે, જેમાં પ્રેસિડેન્ટ અભિજીત દીપકેએ સોમવારની હિંસા બદલ સરકાર અને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

નીટ પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે દેખાવ કરી રહેલા વિદ્યાર્થીઓ અને કોકરુચ જનતા પાર્ટી (CJP) દ્વારા આજે કોઈ પણ ‘સંસદ માર્ચ’ કાઢવામાં આવશે નહીં. CJP ના પ્રેસિડેન્ટ અભિજીત દીપકેએ આજે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી આજનો માર્ચ કાર્યક્રમ રદ કરી રહી છે. આ સાથે જ તેમણે ગત સોમવારે થયેલી હિંસા અને પોલીસ કાર્યવાહી અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
અભિજીત દીપકેના સરકાર પર પ્રશ્નો:
પથ્થરબાજી અંગે સવાલ: અભિજીત દીપકેએ સરકાર અને પોલીસની કામગીરી સામે શંકા વ્યક્ત કરતા પૂછ્યું કે, “જ્યારે દરેક વિદ્યાર્થીના બેગ પોલીસ દ્વારા તપાસવામાં આવતા હતા, ત્યારે તે સ્થળે પથ્થરો ક્યાંથી આવ્યા? પથ્થરોથી ભરેલા ટ્રક ક્યાંથી આવ્યા?”
પોલીસની ભૂમિકા:
તેમણે આરોપ લગાવ્યો કે ત્યાં તૈનાત પોલીસકર્મીઓને બદલે ‘ગુડાતત્વો’ (ગુંડાઓ) હોવાનું જણાઈ રહ્યું હતું.સરકારની સંવેદનશીલતા: દીપકેએ ઉમેર્યું કે, “સરકારને વિદ્યાર્થીઓના જીવની કોઈ ચિંતા નથી. જો માર્ચ રોકવી જ હતી, તો વોટર કેનનનો ઉપયોગ કરી શકાત, પરંતુ લાઠીચાર્જ કરીને તાનાશાહી દાખવવામાં આવી છે.”
આગામી કાર્યક્રમ:
અભિજીત દીપકેએ જણાવ્યું હતું કે, ગત સોમવારની હિંસક ઘટનામાં 150 થી વધુ લોકો ઘાયલ થયા છે અને અત્યારે વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. તેઓ આજે લેડી હાર્ડિંગ હોસ્પિટલ જઈને ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓની મુલાકાત લેશે અને તેમની ખબર-અંતર પૂછશે.











