જો તમારું ચલણ ખરેખર તમારી કોઈ ભૂલ વિના આપવામાં આવ્યું હોય, તો તમારી પાસે આ સાબિત કરવા માટે સ્પષ્ટ પુરાવા હોવા જોઈએ : જો તમે સ્પષ્ટ પુરાવા આપો છો તો શક્ય છે કે તમારું ચલણ રદ થઈ જશે

અમદાવાદ, શુક્રવાર : ઘણી વાર એવું બને છે કે ટ્રાફિક નિયમોની કોઈ ભૂલ કર્યા વિના પણ તમારા મોબાઈલ પર ચલણ કપાયાનો મેસેજ આવી જાય છે. આવી સ્થિતિમાં ઘભરાવાની જરૂર નથી, કારણ કે તમે આ ખોટા ચલણ સામે ઓનલાઈન ફરીયાદ કરી શકો છો. ઈચલણ પરિવહન પોર્ટલ પર જઈને ચલણ નંબર, વાહન નંબર અને જરૂરી પુરાવા આપીને ફરિયાદ નોંધાવી શકાય છે. તમે ઈમેઈલ અથવા ફોન દ્વારા પણ ફરિયાદ કરી શકો છો. પણ યાદ રાખો – અપીલ ત્યારે જ કરો જ્યારે ખરેખર તમારી કોઈ ભૂલ ન હોય અને પુરાવા ઉપલબ્ધ હોય. ઘણી વખત એવું બને છે કે તમારી ભૂલ નથી હોતી છતાં પણ તમને તમારા ફોન પર ચલણ કપાયાનો મેસેજ આવે છે. આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ?
શું તમારે ચલણ ચૂકવવું જોઈએ? બિલકુલ નહીં, હકીકતમાં જ્યારે પણ તમને આ રીતે ચલણ કપાયાનો મેસેજ મળે છે, ત્યારે તમે ઇચ્છો તો તે ચલણ સામે અપીલ કરી શકો છો. તમારે ફક્ત આ કેવી રીતે કરવું તે જાણવું જોઈએ.ઓનલાઈન પદ્ધતિનો ઉપયોગ કરીને તમે તમારી સામે જાહેર કરાયેલ ખોટા ચલણ સામે અપીલ કરી શકો છો. જો તમારી વાત સાચી સાબિત થાય છે, તો તમારો દંડ પણ માફ થઈ શકે છે. આજના ડિજિટલ યુગમાં, તમારા ચલણ સામે અપીલ કરવાનો શ્રેષ્ઠ માર્ગ ઓનલાઈન અપીલ કરવાનો છે. આ માટે, તમારે ઈચલણ પરિવહન ની વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ વેબસાઇટ પર, વિવાદ અથવા ફરિયાદના વિકલ્પ પર જઈને, તમારે તમારા ચલણ સંબંધિત વિગતો આપવી પડશે.
આમાં, ચલણ નંબર, મોબાઈલ નંબર અથવા વાહન નંબર જેવી વિગતો તમારી પાસેથી લેવામાં આવશે. આ પછી તમને તમારા ચલણ ખોટી રીતે જાહેર કરવામાં આવ્યું છે તે સાબિત કરવા માટે પુરાવા આપવાનું કહેવામાં આવશે. આ માટે, તમે ટ્રાફિક કેમેરાની ભૂલ, તમારા સ્થાનનો પુરાવો, વાહનનો ફોટો અથવા RC સબમિટ કરી શકો છો. આ પછી, તમને તમારી ફરિયાદનો ID મળશે. આની મદદથી, તમે તમારી ફરિયાદનું સ્ટેટસ ચકાસી શકશો. આ પછી, જો તમારી વાત સાચી સાબિત થાય છે, તો તમારું ચલણ માફ કરવામાં આવશે ફોન અથવા મેઈલ દ્વારા પણ ફરીયાદ નોંધાવી શકો છો આ માટે તમારે helpdesk-echallan@gov.in પર મેઈલ મોકલવાનો રહેશે, આ સિવાય ફોન ધ્યારા સવારે 6થી બપોરે 12ની વચ્ચે +91–4925505 પર કોલ કરી ફરિયાદ નોંધાવાની રહેશે તમારા ચલણ સામે અપીલ કરતી વખતે, તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. સૌ પ્રથમ, તમારે ફક્ત ત્યારે જ ઓનલાઈન અપીલ કરવી જોઈએ જ્યારે તમારી ખરેખર કોઈ ભૂલ ન હોય. જો તે તમારી ભૂલ હોય અને તેના કારણે ચલણ જાહેર કરવામાં આવ્યું હોય, તો તમારે ચલણ ચૂકવવું જોઈએ. જો તમારું ચલણ ખરેખર તમારી કોઈ ભૂલ વિના આપવામાં આવ્યું હોય, તો તમારી પાસે આ સાબિત કરવા માટે સ્પષ્ટ પુરાવા હોવા જોઈએ. તેમને પોર્ટલ પર સબમિટ કર્યા પછી, તેમને તપાસનાર વ્યક્તિ સમજી શકે છે કે તે તમારી ભૂલ નથી અને ચલણ માફ કરી દેવું જોઈએ. જો તમે સ્પષ્ટ પુરાવા આપો છો તો શક્ય છે કે તમારું ચલણ રદ થઈ જશે.











