અડાલજમાં હિટ એન્ડ રન: શનિદેવ મંદિર પાસે વાહનની ટક્કરથી વ્યક્તિનું મોત, ચાલક ફરાર

ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત વિરેનભાઈને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગાંધીનગર, મંગળવાર
ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલા શનિદેવ મંદિર નજીક ગત 15 જૂન, 2025 ના રોજ સાંજે 6 વાગ્યે એક દર્દનાક હિટ એન્ડ રન કેસ નોંધાયો છે. રોડ ક્રોસ કરી રહેલા એક વ્યક્તિને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી, જેના પગલે ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની વિગતો
પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત બાદ આદિત્ય ક્રેન સર્વિસના કર્મચારી રાકેશકુમાર કોરીને એક મહિલાએ આ ઘટનાની જાણ કરી હતી. મહિલાએ જણાવ્યું હતું કે તેમના ધર્મના ભાઈ, વિરેનભાઈને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી છે. આ ગંભીર અકસ્માતમાં વિરેનભાઈના માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સારવાર દરમિયાન મૃત્યુ
ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત વિરેનભાઈને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની સ્થિતિ વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. દુર્ભાગ્યવશ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિરેનભાઈનું મૃત્યુ થયું હતું.

પોલીસ તપાસ શરૂ
મૃતકનું પોસ્ટમોર્ટમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે અને તેમના મૃતદેહને સાત દિવસ માટે હોસ્પિટલના કોલ્ડ રૂમ માં રાખવામાં આવ્યો છે. આ ઘટના અંગે અડાલજ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી વાહન ચાલકને શોધી કાઢવાના પ્રયાસો શરૂ કર્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!