પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતનું ડેરા ઈસ્માઈલ ખાન ફરી એકવાર આતંકવાદી હુમલાથી ધણધણી ઉઠ્યું છે.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતનું ડેરા ઈસ્માઈલ ખાન ફરી એકવાર આતંકવાદી હુમલાથી ધણધણી ઉઠ્યું છે. શુક્રવારે રાત્રે દક્ષિણી વજીરિસ્તાન સરહદ નજીક આવેલા ડેરા ઈસ્માઈલ ખાન પોલીસ પ્રશિક્ષણ કેન્દ્ર પર આ ભીષણ હુમલો થયો હતો.
લગભગ સાતથી આઠ ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ આ સુનિયોજિત હુમલો કર્યો હતો. પ્રારંભિક માહિતી મુજબ, એક આત્મઘાતી હુમલાખોરે તાલીમ કેન્દ્ર નજીક પોતાને ઉડાવી દીધો, જેના પછી હુમલાખોરો અને સુરક્ષા દળો વચ્ચે જોરદાર ગોળીબાર શરૂ થયો.
સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે આ હુમલામાં એક પોલીસ અધિકારીનું પણ મોત થયું છે અને કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ડીઆઈ ખાન પોલીસના જનસંપર્ક અધિકારી યાકૂબ ખાને આ વાતની પુષ્ટિ કરી છે. અન્ય ચારથી પાંચ આતંકવાદીઓ પરિસરની અંદર છુપાયેલા હોવાની આશંકા છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું છે કે આ ક્લીયરન્સ ઓપરેશન હજી ચાલુ છે. આ વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળો પર આતંકવાદી હુમલાઓની ઘટનાઓ વધી રહી છે.











