RCB ટીમના માલિક બદલાશે? આ ઉધોગપતિ ટીમ ખરીદી શકે છે!

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની જાણીતી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિશે એક મોટી ખબર સામે આવી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ RCBમાં રોકાણ કરવાના સંકેત આપ્યા છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની જાણીતી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિશે એક મોટી ખબર સામે આવી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ RCBમાં રોકાણ કરવાના સંકેત આપ્યા છે.

પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કર્યું કે, “સાચા વેલ્યુએશન પર @RCBTweets એક શાનદાર ટીમ છે.” આ ટ્વીટથી અટકળો શરૂ થઈ ગઈ છે કે અદાર પૂનાવાલા RCBને ખરીદવાના મૂડમાં છે. હાલમાં, RCB યુનાઇટેડ સ્પિરિટ્સ (ડિઆજિયો-નિયંત્રિત કંપની)ની માલિકી હેઠળ છે.

RCBની તાજેતરની સ્થિતિ અને વિવાદ
આરસીબી વર્ષ 2024ની ચેમ્પિયન ટીમ છે, જેણે ગત સીઝનમાં રજત પાટીદારની કપ્તાનીમાં પોતાનો પ્રથમ IPL ખિતાબ જીત્યો હતો. જોકે, જીતની ઉજવણી દરમિયાન બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભગદડમાં 11 લોકોનાં મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ ઘટના બાદ, કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલ (CAT)એ આ દુર્ઘટના માટે RCBને જવાબદાર ઠેરવ્યું હતું, જેના કારણે ફ્રેન્ચાઇઝીના વેચાણની અટકળો વધુ તેજ બની હતી.

પીડિતો માટે નાણાકીય સહાય
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ભગદડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો માટે રૂ. 25-25 લાખનું નાણાકીય પેકેજ જાહેર કર્યું હતું. ફ્રેન્ચાઇઝીએ ‘RCB કેયર્સ’ નામની નવી લાંબા ગાળાની પહેલ પણ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ સતત સામુદાયિક સહાય પૂરી પાડવાનો છે. RCBએ કહ્યું કે આ નાણાકીય સહાય શોકગ્રસ્ત પરિવારોની સાથે ઊભા રહેવાની દિશામાં તેમનું પ્રથમ પગલું છે. ફ્રેન્ચાઇઝી ભવિષ્યમાં આવી કરુણ ઘટનાઓને ટાળવા અને સમુદાયના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!