એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગમોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને ન્યાયની વિનંતી કરી છે

લદ્દાખમાં થયેલી હિંસા બાદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ જેલમાં બંધ ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગમોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને ન્યાયની વિનંતી કરી છે. તેમણે આ પત્રની નકલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને પણ મોકલી છે.
પત્રમાં, ગીતાંજલિએ વાંગચુકની બિનશરતી મુક્તિની માંગ કરી છે અને તેમના પર મૂકાયેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વાંગચુકની ધરપકડ 24 સપ્ટેમ્બરના રોજ લદ્દાખમાં હિંસક પ્રદર્શન ભડકાવવાના આરોપસર કરવામાં આવી હતી અને હાલમાં તેઓ જોધપુર સેન્ટ્રલ જેલમાં છે.
પત્રમાં કરાયેલા મુખ્ય દાવાઓ
ગીતાંજલિ આંગમોએ પત્રમાં જણાવ્યું કે 26 સપ્ટેમ્બરે લેહના ઇન્સ્પેક્ટર રિગ્ઝિન ગુરમેતે તેમને જાણ કરી હતી કે વાંગચુકને NSAની કલમ 3(2) હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા છે અને તેમને જોધપુર જેલ મોકલાયા છે. તેમને ખાતરી આપવામાં આવી હતી કે આ ધરપકડ નથી કારણ કે કોઈ FIR નોંધાઈ નથી, પરંતુ તેમ છતાં આજ સુધી તેમની સોનમ વાંગચુક સાથે કોઈ વાત થઈ શકી નથી.
વાંગચુકની પત્નીએ ભારપૂર્વક જણાવ્યું કે લદ્દાખના લોકો રાષ્ટ્રવાદ અને ભારતીય સેના પ્રત્યેની વફાદારી માટે જાણીતા છે, અને વાંગચુક હંમેશા ભારતની એકતા અને લોકતાંત્રિક વ્યવસ્થાના પક્ષધર રહ્યા છે. તેમણે રાષ્ટ્રપતિને અપીલ કરી કે આદિવાસી પૃષ્ઠભૂમિના હોવાથી તેઓ લદ્દાખના લોકોની લાગણીઓને સમજી શકશે અને સવાલ કર્યો કે શું લદ્દાખના હિતો માટે લડવું એ ગુનો છે











