બિહાર DGPના આદેશ પર RJD નેતા સુનીલ સિંહ વિરુદ્ધ FIR

RJDના વરિષ્ઠ સભ્ય સુનીલ સિંહ વિરુદ્ધ બિહારના ડીજીપી (DGP) વિનય કુમારના આદેશ પર FIR દાખલ કરવામાં આવી છે.

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલાં જ મહાગઠબંધનના નેતા અને RJDના વરિષ્ઠ સભ્ય સુનીલ સિંહ વિરુદ્ધ બિહારના ડીજીપી (DGP) વિનય કુમારના આદેશ પર FIR દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહી સુનીલ સિંહે મતગણતરી પ્રક્રિયા અંગે આપેલા વિવાદાસ્પદ અને ભડકાઉ નિવેદનને પગલે કરવામાં આવી છે.

સુનીલ સિંહે ગુરુવારે નિવેદન આપ્યું હતું કે જો 2020ની ચૂંટણીમાં થયેલી ભૂલનું પુનરાવર્તન થયું અને જનાદેશ આપનાર ઉમેદવારને બળજબરીથી હરાવવામાં આવશે, તો “બિહારના રસ્તાઓ પર નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવો નજારો જોવા મળશે.” તેમણે કહ્યું હતું કે આમ આદમી રસ્તાઓ પર ઉતરશે અને જનભાવના વિરુદ્ધ કોઈ પણ કૃત્યને જનતા સ્વીકારશે નહીં.

ડીજીપી વિનય કુમારે આ નિવેદનને ગણતરી પહેલાંનું “બિનજવાબદાર અને અયોગ્ય” ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મતગણતરી સંપૂર્ણ પારદર્શિતાથી થશે. ડીજીપીના આદેશ બાદ સુનીલ સિંહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. ડીજીપીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પંચના દિશાનિર્દેશોનું સખતપણે પાલન કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની જીતની ઉજવણીની મંજૂરી આપવામાં આવશે નહીં.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!