અમદાવાદ પ્લેન ક્રેશનો મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટ સુધી પહોંચ્યો

આ કેસીસ ટાટા સન્સ દ્વારા પીડિત પરિવારોને આર્થિક મદદ અને વળતર આપવા સહિતના કરાઈ રહેલા પ્રયાસોથી અલગ હશે

અમદાવાદ પ્લેન ક્રેશનો મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટ સુધી પહોંચ્યો

અમદાવાદ, ગુરુવાર : ઈન્ડિયા ફ્લાઈટ AI171, ટેક્નિકલ ખામીને કારણે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ હતી. દુર્ઘટનામાં ઘણા મુસાફરોના મોત થયા અને અનેક ઘાયલ થયા છે. બ્રિટનની કીસ્ટોન લૉ ફર્મ અને અમેરિકાની વિસ્નેર લૉ ફર્મ પીડિત પરિવારજનો સાથે મળી કેસ ફાઈલ કરવા જઈ રહી છે. આ કેસો ટાટા ગ્રુપના વળતરથી અલગ અને વધુ કડક કાયદાકીય માંગો ધરાવતા હશે. આ બંને ફર્મ્સના લૉયર્સ પ્લેન ક્રેશના પીડિતો સાથે મળીને કેસ કરવાની દિશામાં કામ કરી રહ્યા છે.

આ કેસીસ ટાટા સન્સ દ્વારા પીડિત પરિવારોને આર્થિક મદદ અને વળતર આપવા સહિતના કરાઈ રહેલા પ્રયાસોથી અલગ હશે. કીસ્ટોન લૉ ફર્મના પાર્ટનર જેમ્સ હીલી-પ્રેટએ જણાવ્યું હતું કે, તેમની ઈન્ટરનેશનલ લીગલ ટીમ ગત સપ્તાહથી બ્રિટનમાં પ્લેન ક્રેશમાં મોત ભેંટલા લોકોના પરિવારો સાથે વાતચીત કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, એટર્નીસ બધા પુરાવા ઝીણવટથી ચકાસી રહી છે અને અમેરિકામાં બોઈંગ સામે કેસ કરવાની સાથે-સાથે લંડનમાં હાઈ કોર્ટમાં એર ઈન્ડિયા સામે એવો જ કેસ કરવા અંગે વિચાર કરી રહ્યા છે., મોન્ટ્રિયલ કન્વેન્શન જેવા ઈન્ટરનેશનલ લૉઝ પ્લેન ક્રેશના પીડિતોના પરિવારોને અમેરિકા કે બ્રિટન જેવા દેશોમાં કેસ કરવાની મંજૂરી આપે છે. તે ત્યારે જ લાગુ થાય છે કે જ્યારે એરલાઈન એ દેશોમાં કામ કરતી હોય કે પછી પીડિતોનો તે દેશો સાથે કોઈ સંબંધ હોય. રિપોર્ટ મુજબ, કાયદો એમ પણ કહે છે કે, એરલાઈન્સને પેસેન્જરના મોત કે તેને થયેલી ઈજા માટે સંપૂર્ણ રીતે જવાબદાર ઠેરવી શકાય છે, પરંતુ તેણે કેટલી ચૂકવણી કરવી પડશે તેની કોઈ લિમિટ નથી. લૉયર્સ એર ઈન્ડિયાની વિમા કંપની ટાટા AIG દ્વારા પીડિતોના પરિવારને અપાયેલી ઝડપી સેટલમેન્ટની ઓફર્સની સમીક્ષા કરી રહ્યા છે. તે ઈન્ટરનેશનલ લૉ મુજબ પરિવારોને એડવાન્સ પેમેન્ટ્સ કરવાની એરલાઈનની જવાબદારી અંગે પણ વિચાર કરી રહ્યા છે.

લીગલ પ્રયાસનું નેતૃત્વ કીસ્ટોન લો ફર્મના જેમ્સ હીલી-પ્રેટ અને ઓવેન હન્નાની સાથે-સાથે અમેરિકાની વિસ્નેર લૉ ફર્મના એવિએશન એક્સપર્ટ્સ કરી રહ્યા છે. વિસ્નેર વર્ષ 2020માં થયેલા એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્લેન ક્રેશની ઘટનાના પીડિત પરિવારોને સલાહ આપવામાં પણ સામેલ છે. એર ઈન્ડિયા અને બોઈંગની પાસે આવી દુર્ઘટનાઓ માટે લગભગ 4 બિલિયન ડોલરનું વિમા કવરેજ છે. એકલી એર ઈન્ડિયાએ જ 1.5 બિલિયન ડોલરની પોલિસી લીધેલી છે, જેનો ઉપયોગ અમેરિકા કે બ્રિટનની કોર્ટના આદેશ મુજબ ચૂકવણી માટે કરવામાં આવી શકે છે.કેટલાક પીડિત પરિવારો ઈંગ્લેન્ડના કાયદા મુજબ લંડન હાઈ કોર્ટમાં એર ઈન્ડિયા સામે કેસ કરી શકે છે. અન્ય લોકો પુરાવાના આધાર પર વર્જિનિયામાં અમેરિકાની ફેડરલ કોર્ટમાં બોઈંગની સામે કેસ કરી શકે છે. લિટલ એન્ડ કો.ના મેનેજિંગ પાર્ટનર અજય ખટલાવાલાએ ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યું હતું કે, યુએસ અને યુકેમાં કેસ કરવામાં વધુ ફાયદો છે, કેમકે તે દેશો વધારે વળતર અને વિગતવાર કાયદાકીય પ્રક્રિયાઓને મંજૂરી આપે છે. જેમકે, યુએસમાં જ્યુરી ટ્રાયલ અને એક્સપર્ટ વિટનેસીસ હોઈ શકે છે, જે પીડિતોને મોટું વળતર અપાવવામાં મદદ કરી શકે છે. આ દેશોની કોર્ટ્સ મોટાભાગે કેસ કરનારા લોકોને વધુ સપોર્ટ કરતી હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને જ્યારે કેસમાં મેન્ચુફેક્ચર્સ દ્વારા ગંભીર કરવામાં આવી હોય. જોકે, લીગલ એક્સપર્ટ્સ એવી પણ ચેતવણી આપી હતી કે, ખાસ કરીને જ્યારે વિવિધ દેશોના ઘણા પક્ષો કેસમાં સામેલ હોય ત્યારે જ્યુરિડિક્શન ઈસ્યૂસના કારણે આ કેસીસમાં વિલંબ થઈ શકે છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!