PM મોદીના હસ્તે 75 રેલવે સ્ટેશનોનું ઈ-લોકાર્પણ, ગુજરાતના 4 સ્ટેશનનો પણ સમાવાશે

પીએમ મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 75 રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કર્યું છે, જેમાં ગુજરાતના 4 નવા સ્ટેશનોનો સમાવેશ થતા રાજ્યમાં કુલ આધુનિક સ્ટેશનોની સંખ્યા 22 પર પહોંચી છે.

ભારતીય રેલવેના આધુનિકીકરણની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ દેશભરના 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવાનો છે.

ગુજરાતમાં થયેલ વિકાસના મુખ્ય આંકડા:
નવા લોકાર્પિત સ્ટેશનો: ગુજરાતમાં કુલ 109 crore ના ખર્ચે ચાર સ્ટેશનોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાનું પ્રતાપનગર, ગોધરા, પોરબંદર અને ભક્તિનગરનો સમાવેશ થાય છે.કુલ સંખ્યા: આ ચાર નવા સ્ટેશનો સાથે હવે ગુજરાતમાં કાર્યરત ‘અમૃત ભારત સ્ટેશન’ની કુલ સંખ્યા 22 થઈ ગઈ છે.

લોકાર્પણ સમારોહની ખાસ વાતો:
મુખ્યમંત્રીની ઉપસ્થિતિ: વડોદરા મંડળના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ રૂપે સહભાગી થયા હતા.

નિરીક્ષણ: મુખ્યમંત્રીએ સ્ટેશનના કાયાકલ્પને દર્શાવતા વિશેષ પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું. આ સ્ટેશનો હવે અત્યાધુનિક સુવિધાઓ અને સુંદરતા સાથે મુસાફરોની સેવામાં સજ્જ થયા છે.આ યોજના હેઠળ સ્ટેશનોને ભવ્ય પ્રવેશદ્વાર, આધુનિક વેઈટિંગ એરિયા, સ્વચ્છતા અને અપગ્રેડેડ પ્લેટફોર્મ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે, જે મુસાફરીના અનુભવને વધુ આરામદાયક બનાવશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!