મુખ્યમંત્રી નીતીશ કુમારે ચિરાગ પાસવાનને માફ કરી દીધા છે. તેથી જ આજે તેઓ ખરનાના શુભ પ્રસંગે પ્રસાદ લેવા માટે સીધા જ ચિરાગ પાસવાનના ઘરે પહોંચ્યા અને પરિવારના તમામ સભ્યો સાથે મુલાકાત કરી.

મુખ્યમંત્રી નીતીશ કુમારે ચિરાગ પાસવાનને માફ કરી દીધા છે. તેથી જ આજે તેઓ ખરનાના શુભ પ્રસંગે પ્રસાદ લેવા માટે સીધા જ ચિરાગ પાસવાનના ઘરે પહોંચ્યા અને પરિવારના તમામ સભ્યો સાથે મુલાકાત કરી. યાદ અપાવી દઈએ કે, માત્ર એક દિવસ પહેલા જ ચિરાગ પાસવાને વડાપ્રધાન મોદીની જનસભા દરમિયાન સમસ્તીપુરમાં CM નીતીશ કુમારના ચરણ સ્પર્શ કર્યા હતા.
ચિરાગ પાસવાનના ઘરે પહોંચતા જ કેન્દ્રીય મંત્રીએ જ્યારે CM નીતીશ કુમારના પગ સ્પર્શ કર્યા, ત્યારે CMએ પણ હાથ જોડીને તેમનું અભિવાદન સ્વીકાર્યું. આ દરમિયાન CM નીતીશ કુમાર હસતા જોવા મળ્યા હતા અને આ ક્ષણનું સૌએ ખુશીથી સ્વાગત કર્યું હતું. સભા દરમિયાન મંચ પર હાજર તમામ લોકોએ ચિરાગ અને CM નીતીશના આ મિલન પર તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી હતી. આ પછી CM નીતીશ અને ચિરાગ પાસવાન વચ્ચે થોડો સમય વાતચીત પણ થઈ હતી.











