6 વર્ષ પછી ખુલાસો : ‘સોનૂ ભિડે’ એ કહ્યું કેમ છોડ્યું તારક મહેતા : એક તાજેતરના ઇન્ટરવ્યૂમાં નિધિએ ખુલાસો કર્યો કે આ સીરિયલ છોડવાનું એ માટે ભાવનાત્મક અને મુશ્કેલ નિર્ણય હતો

મુંબઈ, મંગળવાર : ટેલિવિઝન દુનિયાની સૌથી લોકપ્રિય સીટકોમમાંની એક, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ‘સોનૂ ભિડે’ની ભૂમિકા દ્વારા દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર નિધિ ભાનુશાલી હવે, 6 વર્ષ બાદ, પોતાની ચુપ્પી તોડી છે. એક તાજેતરના ઇન્ટરવ્યૂમાં નિધિએ ખુલાસો કર્યો કે આ સીરિયલ છોડવાનું એ માટે ભાવનાત્મક અને મુશ્કેલ નિર્ણય હતો. વર્ષો સુધી સેટ અને કેરેક્ટર સાથે ઊંડી લાગણીઓ જોડાયેલી હોવાથી, શો છોડી આપવું એક સરળ પગલું નહોતું.
ટેલિવિઝનનો લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આજે પણ દર્શકોના દિલ પર રાજ કરે છે. પણ આ સીરિયલથી જોડાયેલી ઘણી વાર્તા અને અનુભવ પણ ચર્ચામાં રહ્યા છે. હવે શો છોડ્યાના 6 વર્ષ પછી નિધિ ભાનુશાલીએ મૌન તોડ્યું છે. તેણે જણાવ્યું કે આ ચર્ચિત સીરિયલને છોડવું તેના માટે સરળ નહોતું. એક ઇન્ટરવ્યૂમાં નિધિએ જણાવ્યું કે, ‘મેં સીરિયલ છોડી તેને 6 વર્ષ થયા છે. હું ઈમાનદારીથી કહું તો જીવનનું એ ચેપ્ટર પણ હવે ખૂબ જ દૂર લાગે છે. તે સમયે પણ મારા માટે સીરિયલથી નીકળવું સરળ નહોતું. કારણ કે હું આટલા વર્ષોથી આ સીરિયલનો ભાગ હતી અને મારી બધી બાજુથી આ સીરિયલ સાથે ઊંડી લાગણીઓ જોડાયેલી હતી. મને ચિંતા હતી કે વસ્તુઓ જટિલ બની શકે છે જેમ કે ક્યારેક આટલા લાંબા સમયથી ચાલતી સીરિયલમાં થાય છે પણ એવું કંઈ થયું નહીં. અને જે થયું, તે યાદ રાખવા જેવું નથી.’ નિધિએ સ્પષ્ટ કર્યું કે, તેણે તેની ફીના કારણે સીરિયલ છોડી નથી. તેણે કહ્યું કે, ‘મે વ્યવસાયિક અને વ્યક્તિગત કારણોના લીધે સીરિયલ છોડી છે.










