કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જાણો અન્ય રાજ્યોમાં ક્યારે પહોંચશે મેઘરાજા?

કાળઝાળ ગરમી વચ્ચે દેશવાસીઓ માટે ખુશખબર! કેરળમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જાણો હવામાન વિભાગની આગાહી મુજબ તમારા રાજ્યમાં ક્યારે પડશે વરસાદ.

કેરલમ, ગુરુવાર
કાળઝાળ ગરમી, અસહ્ય ઉકળાટ અને શેકાતી સડકો વચ્ચે આખરે દેશવાસીઓ માટે મોટા ખુશખબર આવી ગયા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ કેરળમાં સત્તાવાર રીતે શાનદાર એન્ટ્રી કરી લીધી છે. આ સાથે જ ભારતમાં વરસાદની મુખ્ય સીઝનનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે.

ભારતીય હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત બાદ, કેરળના અનેક વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા છે અને જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાનું આગમન માત્ર હવામાનનો જ ફેરફાર નથી, પરંતુ દેશના કરોડો ખેડૂતો, સામાન્ય જનતા અને વેપારીઓ માટે આશા અને રાહતનું મોટું કિરણ છે. હવે સૌ કોઈની નજર વરસાદની આગામી ચાલ પર છે.

કેરળના 8 જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર
હવામાન વિભાગે ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે ચોમાસું કેરળમાં પ્રવેશી ચૂક્યું છે અને લક્ષદ્વીપ તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ ખૂબ તેજ બની છે.

IMD દ્વારા 4 જૂનથી 9 જૂન વચ્ચે કેરળમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં 7 સેન્ટિમીટરથી લઈને 20 સેન્ટિમીટર સુધીનો વરસાદ ખાબકી શકે છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટાયમ, ઇડુક્કી, એર્નાકુલમ અને ત્રિશૂર જિલ્લામાં વહીવટીતંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની પૂરી શક્યતા છે.

યુપી, બિહાર અને ઉત્તર ભારતમાં ક્યારે પહોંચશે મેઘરાજા?

કેરળમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે ચોમાસું ઝડપથી આગળ વધશે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર,,સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂનની આસપાસ બેસતું હોય છે, પરંતુ આ વખતે તેની સત્તાવાર શરૂઆત 4 જૂને થઈ છે.
આ ગતિ જોતાં આગામી થોડા દિવસોમાં ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી જશે. જૂન મહિનાના મધ્ય ભાગ સુધીમાં તે બિહારમાં એન્ટ્રી કરશે. જૂનના અંતિમ અઠવાડિયા સુધીમાં ઉત્તર પ્રદેશમાં પણ ચોમાસું બેસી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
આ ઉપરાંત, ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાનું એલર્ટ પણ અપાયું છે.

ખેડૂતો અને ભારતીય અર્થતંત્ર માટે ‘સંજીવની’
આપણો દેશ ખેતીપ્રધાન છે અને ભારતીય અર્થતંત્ર મોટેભાગે ચોમાસા પર જ નિર્ભર છે. વરસાદની આ શાનદાર શરૂઆતથી ખરીફ પાકની વાવણીની તૈયારી કરતા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છે.

જો ચોમાસું આ જ સારી ગતિ સાથે આગળ વધતું રહેશે, તો દેશમાં અનાજનું ઉત્પાદન મબલખ થશે. સારા પાકને કારણે બજારમાં મોંઘવારી પર લગામ લગાવવામાં પણ સરકારને મોટી મદદ મળશે. વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે હવામાન વિભાગે લોકોને હવે પોતાની છત્રી અને રેઇનકોટ તૈયાર રાખવાની અપીલ કરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!