ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી. સરકારી અંદાજ મુજબ 10 લાખ હેક્ટરમાં પાક નુકસાન. સરકારે 7 દિવસમાં સરવેનો આદેશ આપ્યો. જાણો સંપૂર્ણ રિપોર્ટ

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાતમાં હાલ ખેડૂતોની સ્થિતિ ખુબ જ ગંભીર બની છે. કમોસમી વરસાદ એટલે કે માવઠાએ રાજ્યભરમાં એવી તબાહી મચાવી છે કે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઊભા પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. સરકારના પોતાના પ્રાથમિક અંદાજ મુજબ, આખા ગુજરાતમાં 10 લાખથી વધુ હેક્ટર જમીનમાં ખેતીના પાકને નુકસાન થયું છે.
કયા પાકને સૌથી વધુ નુકસાન?
આ માવઠાનો માર એટલો ભયંકર છે કે લગભગ દરેક પ્રકારના પાકને અસર થઈ છે.
* શેરડી
* સોયાબીન
* તુવેર
* મગફળી
* બાગાયતી પાક (ફળો અને શાકભાજી)
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ડાંગર અને અન્ય રોકડિયા પાકોને પણ મોટો ફટકો પડ્યો છે.
સૌરાષ્ટ્રમાં સ્થિતિ સૌથી ખરાબ
રિપોર્ટ્સ મુજબ, નુકસાનનો સૌથી મોટો આંકડો સૌરાષ્ટ્રમાંથી આવ્યો છે. સૌરાષ્ટ્રના અંદાજે 5 જિલ્લામાં પાકને ગંભીર નુકસાન પહોંચ્યું છે.
* જૂનાગઢ
* ભાવનગર
* અમરેલી
આ જિલ્લાઓમાં ખેડૂતોની મુખ્ય કમાણી એવા મગફળી અને કપાસના પાકને ભારે ફટકો પડ્યો છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ આ નુકસાનથી બાકાત રહી શક્યા નથી.
7 દિવસમાં સર્વેનો આદેશ
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર હરકતમાં આવી છે. પાક નુકસાનીની સ્થિતિ જાણવા માટે કેબિનેટ મંત્રીઓને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા હતા. આ મંત્રીઓએ પોતપોતાના વિસ્તારની મુલાકાત લીધા બાદ એક રિપોર્ટ તૈયાર કર્યો, જે આજે કેબિનેટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે, સરકારે તાત્કાલિક પગલાં લેતા આગામી 7 દિવસમાં જ પાક નુકસાનીનો સરવે પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. આ સર્વે રિપોર્ટના આધારે જ ખેડૂતોને રાહત સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવશે.
હજુ 3 દિવસનું સંકટ
ચિંતાની વાત એ છે કે આ આફત હજુ ટળી નથી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે. જો આમ થશે, તો નુકસાનનો આંકડો હજુ પણ વધી શકે છે.










