ઈન્ડિયા ‘એ’ ટીમનો નેપાળ પ્રવાસ: 9 ડિસેમ્બરથી શરૂ થશે 3 ટી20 મેચોની સિરીઝ

ભારતની ‘એ’ ટીમ 9 થી 13 ડિસેમ્બર, 2026 દરમિયાન નેપાળના પ્રવાસે જશે, જ્યાં તે નેપાળ સામે 3 ટી20 મેચોની શ્રેણી રમશે.

ભારતીય ક્રિકેટ ટીમ માટે આ વર્ષે ડિસેમ્બર મહિનો ખાસ રહેવાનો છે. ક્રિકેટ એસોસિએશન ઓફ નેપાળ (CAN) એ સત્તાવાર જાહેરાત કરી છે કે ભારતની ‘એ’ ટીમ (India A) ડિસેમ્બરમાં 3 ટી20 મેચોની શ્રેણી માટે નેપાળનો પ્રવાસ કરશે. આ શ્રેણી 9 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર, 2026 દરમિયાન રમાશે.

બેઠક અને આયોજન
આ નિર્ણય CAN ના પ્રમુખ ચતુર બહાદુર ચંદ, સચિવ પારસ ખડકા અને BCCI ના સચિવ દેવજીત સૈકિયા વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ લેવામાં આવ્યો છે. શ્રેણીની તમામ મેચો કીર્તિપુરના ત્રિભુવન યુનિવર્સિટી ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.

મેચનું સમયપત્રક

  • પ્રથમ ટી20: 9 ડિસેમ્બર, 2026

  • બીજી ટી20: 11 ડિસેમ્બર, 2026

  • ત્રીજી ટી20: 13 ડિસેમ્બર, 2026

નેપાળ માટે મહત્વની તક
નેપાળની ટીમ માટે આ પ્રવાસ અત્યંત મહત્વનો છે, કારણ કે ‘ઈન્ડિયા એ’ ટીમમાં IPL ના સ્ટાર ખેલાડીઓ અને ભારતીય સિનિયર ટીમનો અનુભવ ધરાવતા ખેલાડીઓ સામેલ હોય છે. નેપાળે છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. 2026 ના વર્લ્ડ કપમાં નેપાળે સ્કોટલેન્ડને હરાવ્યું હતું અને ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને પણ માત્ર 4 રનથી હાર આપવાની નજીક પહોંચીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!