AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન સાથેના સંબંધો અને ક્રિકેટ મેચ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જૂના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે.

નવી દિલ્હી,સોમવાર: AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન સાથેના સંબંધો અને ક્રિકેટ મેચ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જૂના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે. ઓવૈસીએ કહ્યું, “પીએમ મોદીએ કહ્યું હતું કે લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી, આતંકવાદ અને વાતચીત એકસાથે થઈ શકતી નથી. તો સરકારને મારો સવાલ છે કે શું તમારો અંતરાત્મા બૈસરનની ખીણમાં માર્યા ગયેલા લોકોના બદલે પાકિસ્તાન સાથે વેપાર બંધ કરવાની મંજૂરી આપે છે? જો તેમની બોટ આપણા પાણીમાં આવી શકતી નથી, તો પછી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ કેવી રીતે રમશો?
ઓવૈસીએ પીએમ મોદીના જૂના નિવેદનનો ઉલ્લેખ કરીને કહ્યું કે જો સરકાર આતંકવાદ અને વાતચીતને એકસાથે ચાલવા દેવા માગતી નથી, તો પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ જેવા સંબંધો કેવી રીતે સ્વીકારી શકે છે? તેમણે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આવા સંજોગોમાં ક્રિકેટ મેચનું આયોજન દેશની સુરક્ષા અને શહીદોના સન્માન સાથે સમાધાન કરે છે.
ઓવૈસીના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય સંબંધો અને ક્રિકેટ ડિપ્લોમસીનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. આ નિવેદન સરકાર અને વિપક્ષ વચ્ચે નવો વાદ-વિવાદ ઉભો કરી શકે છે.










