એશિયા કપ ટ્રોફી વિવાદ: PCB ચેરમેન મોહસિન નકવીએ પત્રકારોના સવાલ પર મૌન સેવ્યું

એશિયા કપ 2025 ટ્રોફી વિવાદ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસિન નકવી સતત ચર્ચામાં છે.

એશિયા કપ 2025 ટ્રોફી વિવાદ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસિન નકવી સતત ચર્ચામાં છે. તાજેતરમાં, અબરાર અહેમદના લગ્ન સમારોહ દરમિયાન નકવીને આ વિવાદાસ્પદ મુદ્દા પર સવાલ પૂછવામાં આવ્યો હતો, પરંતુ તેમણે જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે એક પત્રકારે તેમને ટ્રોફીના ભવિષ્ય વિશે સવાલ પૂછ્યો, ત્યારે 46 વર્ષીય નકવી હસતાં હસતાં ત્યાંથી નીકળી જવાનું વધુ યોગ્ય માન્યું હતું.

મોહસિન નકવી છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે કારણ કે એશિયા કપ ટ્રોફી જીત્યા પછી ટીમ ઇન્ડિયાએ તેમની પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ નકવી તે ટ્રોફી પોતાની સાથે લઈ ગયા હતા. રિપોર્ટ્સ મુજબ, BCCI તરફથી સંભવિત કાર્યવાહીની ચેતવણી મળ્યા બાદ નકવીએ આ ટ્રોફી અમીરાત ક્રિકેટ બોર્ડને સોંપી દીધી છે. જોકે, ટૂર્નામેન્ટ વિજેતા ભારતીય ટીમને હજુ સુધી આ ટ્રોફી મળી નથી. આ વિવાદને કારણે PCB અને ACC બંનેની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ રહી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!