કોંગ્રેસે સોમવારે 12 રાજ્યોમાં જાહેર થયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના બીજા તબક્કા પર સવાલો ઉઠાવ્યા છે.
કોંગ્રેસે સોમવારે 12 રાજ્યોમાં જાહેર થયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના બીજા તબક્કા પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રમુખ પવન ખેડાએ ચૂંટણી પંચની નિયત અને વિશ્વસનીયતા પર હુમલો કર્યો છે. તેમનું કહેવું છે કે, ઘણા પ્રશ્નોના જવાબો ન મળવા અને કથિત ‘વોટ ચોરી’ના મામલાને જોતા વિપક્ષ અને જનતા SIR કરાવવાથી સંતુષ્ટ નથી.
પવન ખેડાએ આરોપ લગાવ્યો છે કે બિહારમાં થયેલા SIRથી ચૂંટણી પંચ અને ભાજપની નિયત દેશ સમક્ષ ખુલ્લી પડી ચૂકી છે. તેમણે કહ્યું કે બિહારમાં SIRને સુધારવા માટે સુપ્રીમ કોર્ટને દરમિયાનગીરી કરવી પડી હતી.તેમણે સવાલ ઉઠાવ્યો કે શું 12 રાજ્યોમાં જાહેર થયેલા SIRના દિશા-નિર્દેશો 2003ના SIRથી અલગ હશે? તેમણે ચિંતા વ્યક્ત કરી કે બિહારમાં ચૂંટણી પંચે 65 લાખ વોટ કાપી નાખ્યા, પરંતુ નવા મતદારોને જોડવા માટે ડોર-ટુ-ડોર કોઈ પ્રયાસ કર્યા નથી. કોંગ્રેસ નેતાએ કર્ણાટકમાં રાહુલ ગાંધી દ્વારા કરાયેલા ‘વોટ ચોરી’ના ખુલાસાનો ઉલ્લેખ કર્યો, જેમાં SIT દ્વારા મતદાર યાદીમાંથી નામ કાપવાનું કેન્દ્રીકૃત અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ બધા કારણોસર, પંચની નિયત અને વિશ્વસનીયતા શંકાના ઘેરામાં છે, જેનાથી વિપક્ષ અને મતદારો અસંતુષ્ટ છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જાહેરાત કરી હતી કે બીજા તબક્કામાં છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR થશે.












