બિહાર ચૂંટણી પહેલા RJDનો મોટો નિર્ણય: પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 27 નેતાઓને હાંકી કાઢ્યા

બિહાર વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ 27 નેતાઓને પક્ષમાંથી નિષ્કાસિત કરીને મોટો નિર્ણય લીધો છે.

બિહાર વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ 27 નેતાઓને પક્ષમાંથી નિષ્કાસિત કરીને મોટો નિર્ણય લીધો છે. પ્રદેશ RJD અધ્યક્ષ મંગની લાલ મંડલ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં જણાવ્યા મુજબ, પક્ષમાંથી હાંકી કઢાયેલા નેતાઓમાં પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ વિધાન પરિષદના સભ્યોનો સમાવેશ થાય છે.

નિષ્કાસિત નેતાઓ પર આરોપ છે કે તેઓ કાં તો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અથવા મહાગઠબંધનના ઉમેદવાર વિરુદ્ધ પ્રચાર કરીને પક્ષ વિરોધી આચરણ કરી રહ્યા છે. આ તમામ નેતાઓને છ વર્ષ માટે પક્ષમાંથી નિષ્કાસિત કરવામાં આવ્યા છે.

પક્ષમાંથી હાંકી કઢાયેલા અગ્રણી નેતાઓમાં પરસાના ધારાસભ્ય છોટે લાલ યાદવ, પરિહારના રિતુ જયસ્વાલ, કટિહારના પૂર્વ ધારાસભ્ય રામ પ્રકાશ મહેતો, મુઝફ્ફરપુરના પૂર્વ ધારાસભ્ય અનિલ સહની, બડહરાના પૂર્વ ધારાસભ્ય સરોજ યાદવ અને મુઝફ્ફરપુરના પૂર્વ વિધાન પરિષદ સભ્ય ગણેશ ભારતીનો સમાવેશ થાય છે. આ સાથે જિલ્લા પ્રમુખ મહાસચિવ અને વિવિધ પ્રકોષ્ઠના જિલ્લાધ્યક્ષોને પણ પક્ષની બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. RJDનો આ સખ્ત નિર્ણય એ દર્શાવે છે કે પક્ષ ચૂંટણી પહેલા મહાગઠબંધનના ઉમેદવારો વિરુદ્ધ બળવો કરનાર કોઈ પણ નેતાને સહન કરવા તૈયાર નથી.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!