બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ની ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદન પર તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ જોરદાર પલટવાર કર્યો છે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ની ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદન પર તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ જોરદાર પલટવાર કર્યો છે. પીએમ મોદીએ દિલ્હીમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે જે રીતે ગંગા બિહારમાંથી બંગાળ તરફ વહે છે, તે જ રીતે બિહારમાં ભાજપની જીતની લહેર પશ્ચિમ બંગાળમાં પણ વહેશે અને બંગાળની જનતાએ પણ ‘જંગલરાજ’ ને ઉખાડી ફેંકવાનો સંકલ્પ લીધો છે.
TMCના પ્રવક્તા કુણાલ ઘોષે પીએમ મોદીના આ નિવેદનને “સંપૂર્ણપણે ભ્રમ” ગણાવ્યો છે અને કહ્યું છે કે આ નિવેદન બંગાળના રાજકારણની ખરાબ સમજ દર્શાવે છે. ‘જંગલરાજ’ના આરોપ પર પ્રતિક્રિયા આપતા ઘોષે સ્પષ્ટતા કરી કે બંગાળમાં કોઈ જંગલરાજ નથી, તે તો ડાબેરીઓના શાસનકાળમાં હતું. તેમણે વધુમાં કહ્યું કે, “રાજ્ય જીતવાનું ભાજપનું સપનું એક ભ્રમ છે… બંગાળની સિંહણ (મમતા બેનર્જી) તેમનો ઇંતજાર કરી રહી છે.” TMC એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી ૨૦૨૬ માં ૨૯૪ માંથી ૨૫૦ સીટો જીતીને સતત ચોથી વખત સરકાર બનાવશે.











